



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (22 ઓક્ટોબર) સવારે 10 કલાકે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન કોરોના રસીકરણ અભિયાન અને કોરોના મહામારી વિશે હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં દેશના દરેક નાગરિકને 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.આ સાથે વડાપ્રધાન મોદીએ ચાલુ તહેવારોની મોસમ અંગે દેશવાસીઓને ચેતવણી પણ આપી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આપણે બેદરકાર ન રહીએ અને તહેવારોની ખૂબ કાળજીથી ઉજવણી કરીએ.આપણે આપણા તહેવારોની ખૂબ કાળજી સાથે ઉજવણી કરવી જોઈએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “કવચ ગમે તેટલું સારું હોય, બખ્તર કેટલું આધુનિક હોય, બખ્તરથી રક્ષણની સંપૂર્ણ ગેરંટી છે, પછી પણ જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં સુધી શસ્ત્રો નાંખવામાં આવતા નથી. હું વિનંતી કરું છું કે, આપણે આપણા તહેવારોની ખૂબ કાળજી સાથે ઉજવણી કરવી જોઈએ.આપણે બેદરકાર ન રહેવું જોઈએ પોતાના સંબોધનના અંતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશ જાણે છે કે કેવી રીતે મોટા લક્ષ્યો નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા, પરંતુ આ માટે આપણે સતત સાવચેત રહેવાની જરૂર છે. આપણે બેદરકાર ન રહેવું જોઈએ.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Let us not be careless and celebrate the festivals very carefully. : Prime Minister Narendra Modi