



તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ૧૦મી વાયબ્રન્ટ સમિટ યોજાશે.આ વાઇબ્રન્ટ સમિટને લઈને આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.આ બેઠક દરમિયાન રાયના વિવિધ ક્ષેત્રે નવી પોલીસી જાહેર કરવા મા આવશે અને વધુને વધુ રોકાણકારો ગુજરાત આવે તે અંગે પણ આજે ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવશે.
કોરોનાની મહામારી બાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થઈ રહ્યું છે આગામી જાન્યુઆરી માસ દરમિયાન મહાત્મા મંદિર ખાતે આ સમિટનુ આયોજન કરવામા આવ્યુ છે. જેની તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે.૧૦મી વાઇબ્રન્ટ સમિટને મુદે ઉધોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સમિટની થીમ, પાર્ટનર કન્ટ્રી, વિદેશના મહાનુભાવોને આમંત્રણ આપવા સહિતની બાબત પર ફોકસ કરવામાં આવશે.
કોરોનાની મહામારી ના કારણે જ આ વખતે વાઇબ્રન્ટ સમિતિ નું મહાત્મા મંદિર ખાતે મુખ્ય આયોજન થશે. જે રોકાણકારો આ સમિટમાં બ ભાગ લઇ શકશે નહીં તેમના માટે વચ્ર્યુઅલ પ્લેટફોર્મ પૂં પાડવામાં આવશે જેના પર આમંત્રિત દેશો અને રોકાણકારો વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાઈ શકશે.
અત્યાર સુધીની પરંપરાનુસાર વિવિધ દેશોની મુલાકાતે ગુજરાત રાયના અધિકારીઓ બ જઇને આમંત્રણ આપતા હતા જેમાં મુખ્યમંત્રીથી માંડીને વિવિધ વિભાગના મંત્રીઓ પણ તેમના ડેલીગેશન સાથે જઈને આમંત્રણ પાઠવતા હતા પરંતુ કોરોનાની મહામારી ના કારણે કેટલાક દેશમાં નિયંત્રણો ભારે હોવાના પરિણામે પ્રથમ વખત આવી રીતે આમંત્રણ પાઠવી શકાયા નથી.
#Preparations for the Vibrant Summit-206
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)