



એર-ઈન્ડિયાને પ્રાઈવેટ સેક્ટરને સોંપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર પ્રાઈવેટાઈઝેશન અને ડિસઈન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય પૂરું કરવા માટે ઝડપથી કામ કરશે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મોદી સરકાર અડધા ડઝન જેટલી કંપનીનું પ્રાઈવેટાઈઝેશન કે પછી ડિસઈન્વેસ્ટમેન્ટની યોજના બનાવી રહી છે.સરકારે આ નાણાકીય વર્ષમાં પ્રાઈવેટાઈઝેશનથી ૧.૭૫ લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે સરકારને અત્યાર સુધી એક્સિસ બેંક, એનએમડીસી અને હુડકો વગેરેમાં ભાગીદારીના વેચાણથી માત્ર ૮૩૬૯ કરોડ રૂપિયા અને હાલમાં એર ઈન્ડિયાના વેચાણથી ૧૮ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આમ સરકાર અત્યાર સુધી ૨૬,૩૬૯ કરોડ રૂપિયા મેળવી શકી છે. સરકારનું લક્ષ્ય છે ૧.૭૫ લાખ રૂપિયા ભેગા કરવાનું, જે તેના લક્ષ્યથી ઘણું આઘું છે.૧.૭૫ લાખ કરોડ રૂપિયા તિજોરીમાં જમા કરવા માટે સરકાર એલઆઈસી અને બીપીસીએલ ઉપરાંત અન્ય ચાર કંપનીઓ પવનહંસ, નીલાંચલ ઈસ્પાત નિગમ, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આઈડીબીઆઈ અને એસસીઆઈ (શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) કંપનીનો હિસ્સો પણ વેચવાની છે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#To sell: #LIC and #BPCL’s turn? : Move to fill #government coffers by selling stake?