



બદ્રીનાથ ધામના દરવાજા શિયાળાના ચાર મહિના માટે 20 નવેમ્બરે સાંજે 6:45 વાગે બંધ કરવામાં આવશે, એમ ઉતરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે દશેરાના દિવસે જણાવ્યું હતું.કેદારનાથ અને યમનોત્રી ધામના દરવાજા 6 નવેમ્બર ભાઈબીજના દિવસે અને ગંગોત્રી ધામના દરવાજા 5 નવેમ્બર ગોવર્ધન પૂજાના દિવસે શિયાળાના ચાર મહિના માટે બંધ કરવામાં આવશે.આ વર્ષે અત્યાર સુધીમાં સવા લાખ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે. આ વર્ષે ચારધામ યાત્રાની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ હતી. કોરોના રોગચાળાને કારણે આ વર્ષે ચારધામ યાત્રાની શરૂઆત મોડી કરવામાં આવી હતી.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The gates of #Badrinath Dham will close on November 20