



સરકારે શહેરી ગરબાની છુટ આપી છે પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની નજર રાખવામાં નથી આવતી પબ્લિક માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળે છે.
સરકારના નવા નિમાયેલા મંત્રીઓ સરકારની અને પક્ષની છાપ બદલવા માટે પુરજોશથી કામો કરી રહ્યા છે પરંતુ કોરોનાના SOP નું પાલન કરવામાં ક્યાંક બેક ફુટ પર દેખાય રહ્યા છે, તો આવા સંજોગોમાં જ્યારે કોરોના વધી રહ્યો છે તો કોણ જવાબદાર પ્રજા કે નેતા? રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકામાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ શહેર 5, સુરત જિલ્લા અને શહેર માં 8, વલસાડ જિલ્લામાં 5, ભાવનગરમાં 2, નવસારી 2, વડોદરા 1, મેહસાણા 1, એમ ટોટલ 24 કેસ આવેલ છે.
ગુજરાત રાજ્ય કોરોનાની બંને લહેરોની ચપેટ માં આવી ચુક્યું છે અને રાજ્યમાં જે પ્રકારે ઓક્સિજન ની કિલ્લત પડી અને કોરોનાના કારણે જેટલા મૃત્યુ થયા એના આપણે સાક્ષી છીએ ત્યારે સરકારે પ્રજાના હિતમાં નિર્ણયો લઇ કામ કરવાની જરૂર છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Corona: There were 24 cases in #Gujarat in the last 24 hours