



રાજયમાં આવકના દખલા માટે દર વર્ષે નવો દાખલો કઢાવવા માટે મોટા ભાગના લોકોને ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે આવકના દાખલાની મર્યાદા વધારી ત્રણ વર્ષની કરવામાં આવી છે. એટલે કે, હવે કોઇ પણ વ્યક્તિએ આવકનો દાખલો ત્રણ વર્ષમાં એક વાર કઢાવવાનો રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ડિજીટલ ગુજરાત અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવતા નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Income limit is limited to three years