#Ambaji: Garba of Navratri will not be held: Garba program postponed in Chacharchowk
Aastha Magazine
#Ambaji: Garba of Navratri will not be held: Garba program postponed in Chacharchowk
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજીઃ નવરાત્રીના ગરબા નહી યોજાય : ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી

કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ સૂચન કર્યું છે. અંબાજી ધાર્મિક સમિતિ નવરાત્રીમાં આરતી કરશે. મહત્વનું છે કે દર વર્ષે ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા યોજાય છે. કોરોના મહામારીને લઇ ગરબાનું આયોજન ન કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ગયા વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનું આયોજન નહોતું કરાયું.
માં અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠમાનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે.ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ દર્શન આરતી ના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Ambaji: Garba of Navratri will not be held: Garba program postponed in Chacharchowk

Related posts

IRCTC : ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે તે માટે રેલવે દ્વારા પેકેજ

aasthamagazine

અંબાજી મંદિર : બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન ઓડીયો અને વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમનો પ્રયોગ

aasthamagazine

ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવ્યો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રવેશ

aasthamagazine

ઇસ્કોન મંદિર રાજકોટ : ભગવાનનો અભિષેક કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે ભગવાનનું અવતરણ થશે.

aasthamagazine

Leave a Comment