



સિંહોના બદલામાં દિલ્હીનું ઝૂ ગુજરાતને એક નર અને એક માદા હિપોપૉટેમસ આપશે.સંવનન અને પ્રાણીઓની અદલાબદલી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાંથી એક સિંહ તેમ જ બે સિંહણને દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં લઈ જવામાં આવશે. ઝૂના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતના કેવડિયા અને સક્કરબાગમાંથી આ પ્રાણીઓને દિલ્હી લઈ જવામાં આવશે. સિંહોને પણ ૧૫થી ૨૦ દિવસ ક્વૉરન્ટીન કર્યાં બાદ એમને એમના પિંજરાઓમાં છોડવામાં આવશે. સિંહોના બદલામાં દિલ્હીનું ઝૂ ગુજરાતને એક નર અને એક માદા હિપોપૉટેમસ આપશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Two hippopotamuses will be found in exchange for a lion