



ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલ મીડિયા સામે કેટલીક વાત કરી હતી. નરેશ પટેલે કહ્યું હતું કે, આ એક શુભેચ્છા મુલાકાત છે અને માતાજીના દર્શન કરવા માટે આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. જે મુદ્દાઓ પાટીદાર સમાજને સ્પર્શે છે. હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી.
આવનારા દિવસોમાં એક કમિટી એમને મળશે અને ચર્ચા વિચારણા કરશે. આંદોલનમાં થયેલા કેસને પાછા ખેંચવાનો પણ મુદ્દો રહ્યો છે. OBC કેટેગરીમાં સમાવવા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ માટે અમારી બંને સંસ્થાઓ સાથે મળીને ચર્ચા કરશે. નરેશ પટેલે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. પટેલ સમાજની બંને સંસ્થા આગેવાન નરેશ પટેલ અને ઊંઝા ઉમિયાધામના મણીભાઈ, બાબુ જમના પટેલ, સીદસરના જયરામ પટેલ, સોલા ઉમિયા કેમ્પસના વાસુદેવ પટેલ, રમેશ દુધવાળા તથા ખોડલધામના દિનેશ કુંભાણીએ ખાસ મુલાકાત કરી છે.
ગુજરાતમાં આવી રહેલી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીઓના પગલે પાટીદાર સમાજ સક્રિય થયો છે. જેના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને પાટીદાર સમાજના તમામ ધાર્મિક -શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ – વડાઓ વચ્ચે ખાસ બેઠક યોજાઈ રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક મંચ પર એકત્રિત થશે એવા એંધાણ વર્તાય રહ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Special interview with Naresh Patel Kari CM of Khodaldham Trust