#The temple of Ashapura Mataji will be open in Navratri
Aastha Magazine
#The temple of Ashapura Mataji will be open in Navratri
ધાર્મિક-ધર્મયાત્રા

નવરાત્રિમાં આશાપુરા માતાજીનું મંદિર ખુલ્લું રહેશે

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ભક્તો નવરાત્રી સમયે મંદિરમાં જઈ દર્શન કરી શકશે. નવરાત્રી દરમિયાન મંદિર સવારના 4થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પરંતુ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ અને સ્ટોલ આ વર્ષે પણ ઉભા નહીં કરવામાં આવે સાથે નવરાત્રી સમયે મેળાનું થતું આયોજન પણ આ વર્ષે બંધ રહેશે.નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ, ગત વરસે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટી હતી. અને, માતાનો મઢ નવરાત્રિ દરમિયાન ભક્તો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આ વરસે ફરી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The temple of Ashapura Mataji will be open in Navratri

Related posts

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

કડક સુરક્ષા વચ્ચે લાલ બાગ ચા રાજાનું વિસર્જન ભક્તોએ ગણપતિ બપ્પાને આપી વિદાય

aasthamagazine

રક્ષાબંધન : ભાઈ-બહેનનો પવિત્ર ભાવનાનો તહેવાર

aasthamagazine

શંખ વગાડવાના ફાયદા

aasthamagazine

પયગંબર સાહેબ દ્વારા આપવામાં આવેલી કુર્બાનીની યાદમાં બકરી ઈદ મનવવામાં આવે છે.

aasthamagazine

સોમનાથ : નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરનાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ કર્યું

aasthamagazine

Leave a Comment