



T 20 વર્લ્ડકપ આગામી 17 ઓક્ટોબરથી શરુ થવાનો છે. ત્યારે આ વચ્ચે રાજકોટ ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં T-20 મેચ રમાશે.T-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઘણી ટીમો સામે મેચ રમશે. જેમા ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અનેે દક્ષિણ આફ્રિકા જેવી ટીમો છે. ટીમ ઈન્ડિયાની આ સીરીઝ માટે પહેલાથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને 15 જૂન-2022 નાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે T-20 મુકાબલો રમાશે.
ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને 15 જૂન-2022નાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે T-20 મુકાબલો રમાશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#T-20 match will be held in Rajkot