#Rajkot: Devotees will be able to dissolve Ganesha by following the declaration
Aastha Magazine
#Rajkot: Devotees will be able to dissolve Ganesha by following the declaration
રાજકોટ

રાજકોટ : જાહેરનામાનું પાલન કરીને ભાવિકો ગણેશ વિસર્જન કરી શકશે

ગણપતિ ગજાનનની પૂજા-અર્ચના, આરાધના કર્યા બાદ આવતીકાલે રવિવારે ભાવિકો ભાવભેર વિઘ્નહર્તાની સ્થાપિત મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરશે. આ અંગે DCP ઝોન ટુ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરઘસ યોજીને કે ગરબા રમીને વિસર્જનની કરવાની છૂટ આપવામાં આવી નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા શહેરની ભાગોળે જુદા-જુદા સાત સ્થળોએ ગણેશ મૂર્તિ વિસર્જિત કરવાનું નક્કી કરાયું છે. જેમાં આજી ડેમ ઓવરફ્લોના નીચે આવતા ચેક ડેમ, ન્યારા પાટિયા પાસે, જામનગર રોડ, કલાવડ રોડ વાગુદડ બાલાજી ફેક્ટરી પાસે વગેરે સહિત 5 સ્થળોએ જ મૂર્તિનું વિસર્જન થઇ શકશે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું ભાર પાડીને દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલ છે અને રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે.રાજકોટમાં 76 ગણપતિ ઘરમાં વિસર્જન કરવા અંગેની મંજૂરી આયોજક દ્વારા માંગવામાં આવેલ છે. આ મુદ્દે સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે કત્રિમ કુંડ વિસર્જન કરતી વખતે ભીડ એકઠી કરવી નહી. રાજકોટ શહેર પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલ રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે કલર કોડ નીચે મુજબ છે.વિસર્જનમાં મહત્તમ 15 લોકો એક વાહનમાં જઈ શકશે
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં દર્શાવાયું છે કે પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ મૂર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓ એક જ વાહન મારફત કરી શકશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશનું વિસર્જન ઘર પર જ કરવામાં આવે તે હિતાવહ રહેશે. સાર્વજનિક ગણેશ સ્થાપનનું વિસર્જન સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. આ પધ્ધતિ સિવાયની કોઇપણ પધ્ધતિથી મૂર્તિ વિસર્જન થઇ શકશે નહી. અન્યથા જાહેરનામા ભંગનો ગુનો બનશે.વિસર્જન સ્થળે મનપાની ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત રહેશે રવિવારે વિદાય પણ ભાવિકો કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ પ્રતિમાને વિસર્જિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સાત સ્થળો નક્કી કર્યા છે પરંતુ કોરોના મહામારીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને અને જાહેરનામાનું પાલન કરીને ભાવિકો ગણેશ વિસર્જન કરી શકશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Devotees will be able to dissolve Ganesha by following the declaration

Related posts

રાજકોટ : ગણેશ મહોત્સવને લઇને ગણેશોત્સવના આયોજકો માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું

aasthamagazine

રાજકોટ : મહાત્મા ગાંધી સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/02/2022

aasthamagazine

Speed News – 17/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : ઠેર ઠેર મોટા મોટા ખાડા : ખાડા નગરી : રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય : થૂંકના સાંધા

aasthamagazine

Leave a Comment