



ગીરનાર રોપ-વે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. ગીરનારની ટોચ પર સહેલાઇથી પહોંચી ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે અને કુદરતી સૌંદર્ય માણી શકે તે માટે આ રોપ-વે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જુનાગઢ ખાતે આ રોપ-વે થી ૨૮ ઓગસ્ટના રોજ ૪,૮૬૧ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૭,૪૫૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ૮,૫૦૩ એમ કુલ ૨૧,૧૨૩ પ્રવાસીઓએ મુલાકાત લઇ ગીરનારના પવિત્ર ધામોમાં દર્શનની સાથે સાથે પ્રકૃતિ દર્શનનો લાભ લીધો હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Girnar Ropeway: 21,17 tourists visited