Tourists from Maharashtra and Kerala will be tested for corona
Aastha Magazine
Tourists from Maharashtra and Kerala will be tested for corona
આરોગ્ય

મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાશે

રાજયમાં કોરોના સંક્રમણની શકયતા જોતાં સરકારે એક તાકીદના નિર્ણયમાં મહારાષ્ટ્ર અને કેરળમાંથી, આવતા મુસાફરોને રેલવે સ્ટેશન સહિતના એન્ટ્રી પોઇન્ટ પર તાત્કાલીક ટેસ્ટ કરવા તથા તેઓએ વેકસીન લીધી છે કે નહી તેની ખાત્રી કરવા ખાસ આદેશ આપ્યા છે અને તેના પગલે આજે અમદાવાદ રેલવે સ્ટેશને આ પ્રકારની ટેસ્ટીંગ અને વેકસીન સર્ટીફીકેટની ચકાસણી શરૂ થઇ ગઇ છે.

દેશમાં આ બંને રાજયો કોરોનાના કુલ કેસમાં 70 થી 80 ટકા જેટલા પોઝીટીવ ધરાવે છે અને છેલ્લા એક સપ્તાહમાં સતત આ બંને રાજયોમાં કેસ વધતા રહ્યા છે જેના કારણે મહારાષ્ટ્ર અને મુંબઇ સાથે ગુજરાતનો જે ખાસ નાતો છે તે જોતાં સંક્રમણ ફરી રાજયમાં પ્રવેશે તેવો ભય છે. ઉપરાંત કેરળ સહિતના પ્રવાસીઓ પણ આવે છે. તે જોતાં હવે રાજય સરકારે બંને રાજયોમાંથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ અને વેકસીન સર્ટીફીકેટ ફરજીયાત બનાવ્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Tourists from Maharashtra and Kerala will be tested for corona

Related posts

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

6 ફેબ્રુઆરી સુધી આવશે ત્રીજી લહેરનું પીક : આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકો

aasthamagazine

રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા પણ મોતનો આંકડો વધ્યો

aasthamagazine

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે : સરકાર

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

Leave a Comment