



દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અભિનેતા સોનૂ સૂદ આજે શુક્રવાર(27 ઓગસ્ટ) મુલાકાત થઈ. આમ આદમી પાર્ટી(આપ)ના દેશના મેન્ટર્સ કાર્યક્રમના સોનૂ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. સીએમ કેજરીવાલ અને સોનૂ સૂદની આ મુલાકાત મુખ્યમંત્રી દિલ્લીના આવાસ પર થઈ છે. આ દરમિયાન તેમની સાથે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. આ બેઠકબાદ સોનૂ સૂદ અને સીએમ કેજરીવાલે એક જોઈન્ટ પ્રેસ કૉન્ફરન્સ પણ કરી. જેમાં માહિતી આપવામાં આવી છે કે સોનૂ સૂદ દેશના મેન્ટર્સ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયા છે.
બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયા સોનૂ સૂદઃ કેજરીવાલ
પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘દેશના મેન્ટર્સ’ કાર્યક્રમ માટે સોનૂ સૂદ અમારા બ્રાંડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે કહ્યુ છે કે તે પણ અમુક બાળકોના મેન્ટોર બનશે. વળી, સોનૂ સૂદે કહ્યુ કે, ‘આજે દિલ્લી સરકારે દેશના મેન્ટર્સ નુ પ્લેટફૉર્મ નથી બનાવ્યુ, દેશ માટે કંઈ કરવાનુ તમારા માટે એક પ્લેટફૉર્મ તૈયાર કર્યુ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Sonu Sood and Kejriwal meet