



રોનાને કારણે લોકમેળો સતત બીજા વર્ષે નહીં યોજાઈ પરંતુ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી છે કે- તહેવારોમાં આજી ડેમ, ન્યારી ડેમ, પ્રદ્યુમ્ન પાર્ક અને ઝૂ ખુલ્લા રહેશે,જરૂર જણાશે તો ટેસ્ટિંગ ટીમો પણ મુકાશે.ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં પ્રથમ વખત તહેવારોમાં જાહેર સ્થળોએ ફરવાની મંજૂરી અપાઈ છે , ઈશ્વરિયા પાર્ક સહિતના સ્થળો તહેવારોમાં ખુલ્લા રહેશે. જોકે તેમાં ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટે પ્રવેશ આપવા માટે મર્યાદા નક્કી કરાશે ત્યાં મુલાકાતીઓને માસ્ક તેમજ સેનિટાઈઝેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે.તેમજ કોવીડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ શહેરીજનોએ પણ કોરોના સાવ ખતમ નથી તે ધ્યાનમાં રાખી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ ખાસ કરીને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે અપીલ રેસકોર્ષ, પ્રદુમન પાર્ક સહિતના સ્થળોએ ફરવાનો ક્રેઝ કાયમી રહ્યો છે. હાલ કોરોના કાળમાં બહાર જવાનું લોકો ટાળી રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શહેરીજનો પોતાના મનગમતા પિકનિક સ્થળ ઉપર ફરી શકશે. પરંતુ જો તહેવારની ઉજવણીમાં શહેરીજનો બેદરકારી દાખવશે તો અવશ્ય ત્રીજી લહેરને તેડું આવી જશે તેમાં શંકાને સ્થાન નથી. આગામી દિવસોમાં કર્ફ્યૂમાં છૂટછાટ મળવાની સંભાવના જોવાઈ રહી છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Aji Dam, Pradyumna Park and Zoo will be open during the festivals