Approval of Zykov de Corona vaccine containing 3 doses of Zydus Cadila
Aastha Magazine
Approval of Zykov de Corona vaccine containing 3 doses of Zydus Cadila
આરોગ્ય

ઝાયડસ કેડિલાની 3 ડોઝ ધરાવતી ઝાયકોવ ડી કોરોના રસીને મંજૂરી

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક હથિયાર મળ્યું છે. કોરોના મહામારી સામે ઝાયકોવ ડીદેશમાં ચાલી રહેલી રસીકરણ અભિયાનમાં હવે વધુ એક રસી ઉમેરાઈ છે. ઝાયડસ કેડિલાની કોરોના રસીને સરકાર તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. ઝાયડસ કેડિલાએ ગત મહિને તેની કોવિડ 19 રસી ઝાયકોવ ડી ના તાત્કાલિક ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી માટે અરજી કરી હતી. કેન્દ્ર સરકારે ઝાયડસ કેડિલાની 3 ડોઝ કોરોના રસીને મંજૂરી આપી છે. આ રસીનું નામ ઝાયકોવ ડી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાની નિષ્ણાત સમિતિએ શુક્રવારના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે આ રસીને મંજૂરી આપી હતી. સમિતિએ ફાર્મા કંપની પાસેથી આ રસીના 2 ડોઝની અસર અંગે વધારાનો ડેટા પણ માંગ્યો છે. જોહ્ન્સન & જોહ્ન્સનને બાળકો માટે રસીના ટ્રાયલની મંજુરી માંગી! કેડિલા હેલ્થકેર લિમિટેડ તરીકે સૂચિબદ્ધ સામાન્ય દવા ઉત્પાદકે સમગ્ર દેશમાં 28,000થી વધુ સ્વયંસેવકો પર પરીક્ષણો કર્યા છે. આ રસીની અસરકારકતા દર 66.6 ટકા હોવાનું બહાર આવ્યું છે. કેડિલા હેલ્થકેર લિમિટેડે 1 જુલાઈએ ના ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી માટે અરજી કરી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ રસી 12 થી 18 વર્ષના બાળકો માટે સલામત છે. જો કે તેના ટ્રાયલ ડેટાની હજૂ સુધી પીઅર રિવ્યુ કરવામાં આવ્યું નથી. આ અગાઉ ઝાયડસ કેડિલાએ જણાવ્યું હતું કે,ને મંજૂરી મળ્યા બાદ બે મહિનાની અંદર રસી લોન્ચ કરી શકે છે.રસી ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ રસી સામાન્ય ફ્રીઝરમાં 2 થી 8 ° C પર સંગ્રહિત કરી શકાય છે. બે દિવસ પહેલા જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની એક ડોઝ વાળી કોવિડ 19 રસીને ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારના રોજ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Approval of Zykov de Corona vaccine containing 3 doses of Zydus Cadila

Related posts

ભારતમાં વેક્સીનેશનનો આંકડો 90 કરોડને પાર : મનસુખ માંડવિયા

aasthamagazine

Speed News – 26/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

કોરોનનું ઝડપી સંક્રમણ : નવા 2.64 લાખ દર્દી : 315 લોકોના મોત

aasthamagazine

ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ : રિકવરી રેટ 98.75 ટકા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

Speed News – 01/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment