



વડોદરામાં 108 મંદિરોમાં ખાસ લાઉડ સ્પીકર ગોઠવીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. વડોદરાની મીશન રામસેતુ સંસ્થાએ આ આયોજન કર્યુ છે અને તેને ગઇકાલે વડોદરાના મંદિરોમાં ફ્રી લાઉડ સ્પીકર વિતરણ કર્યુ હતું લોકો દિવસમાં બે વખત હનુમાન ચાલીસા ઉપરાંત આરતી અને અન્ય ધાર્મિક પ્રવચનો તથા પ્રાર્થનાઓનું શ્રવણ કરી શકે તે માટે અમોએ આ નિર્ણય લીધો છે અને 78 મંદિરોએ તેમાં સહમતિ આપી દીધી છે અમારો ઇરાદો 108 મંદિરો સુધી આ વ્યવસ્થા ગોઠવવાનો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)