15 ઓગસ્ટે મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર
Aastha Magazine
15 ઓગસ્ટે મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર
રાષ્ટ્રીય

15 ઓગસ્ટે મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર : સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જ્યારે પણ દેશમાં કોઈ મોટો તહેવાર આવે એટલે પાકિસ્તાન નવુ આતંકવાદી આયોજન શરૂ કરી દે છે. હવે સુરક્ષા એજન્સીઓ પાસેથી સમાચાર મળ્યા છે કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી સુરક્ષા પ્રતિષ્ઠાનો, અગ્રણી ચોકીઓ વગેરે પર હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. આના માટે દેશમાં હથિયાર અને દારૂગોળો પણ મોકલવામાં આવી રહ્યો છે. જો કે મામલાની ગંભીરતાને જોતા સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ એલર્ટ પર હતી પરંતુ હવે સાવચેતી વધુ કડક બનાવી દેવામાં આવી છે.સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવેલ ખુફિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત ઘણા આતંકી સંગઠન 15 ઓગસ્ટના મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા છે. આના કારણે કાશ્મીરથી લઈને દિલ્લી સુધી સુરક્ષા એજન્સીઓએ છેલ્લા અમુક સપ્તાહથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખુફિયા ઈનપુટમાં સીમા પારથી હથિયાર અને દારૂગોળો મોકલવાની પણ વાત કહેવામાં આવી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ ચાર મહત્વપૂર્ણ ખુફિયા રિપોર્ટ આવ્યા છે જેમાં લશ્કર, જૈશનો ઉલ્લેખ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

સંસદના 700થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત

aasthamagazine

કોરોના રસીકરણની ગતિ ઝડપી બનાવવા અપીલ : પીએમ મોદી

aasthamagazine

પ્રદૂષણને કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરાઈ

aasthamagazine

પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહની તબિયત અચાનક બગડી ગઈ

aasthamagazine

પીએમ મોદીની કાફલામાં સામેલ કરી છે આ કાર

aasthamagazine

Leave a Comment