નારાયણ સાંઈની પેરોલ અરજી ફગાવાઈ
Aastha Magazine
નારાયણ સાંઈની પેરોલ અરજી ફગાવાઈ
ક્રાઈમ

નારાયણ સાંઈની પેરોલ અરજી ફગાવાઈ

બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલ આશારામ બાપુના દીકરા નારાયણ સાંઈને જેલમાં પેરોલ મળ્યા નથી. નારાયણ સાંઈ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં પેરોલની અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે સ્વીકારીને નારાયણ સાંઈના બે સપ્તાહના પેરોલને મંજૂરી આપી હતી. જો કે પીડિત પક્ષે આ કેસને જ્યારે સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો તો આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી. આ સાથે જ નારાયણ સાંઈની અરજી પણ ફગાવી દીધી.હાઈકોર્ટની એકલ પીઠે આદેશને પડકારતી ગુજરાત સરકારની અરજી પર ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની પીઠે નારાયણ સાંઈને નોટિસ જાહેર કરી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2 સપ્તાહ બાદ આગળની સુનાવણી ટાળી દીધી છે. વળી, આ પહેલા 24 જૂને ગુજરાત હાઈકોર્ટની એકલ ન્યાયાધીશ પીઠે નારાયણ સાંઈએ પેરોલ આપી દીધી હતી. નારાયણ સાંઈ ગયા વર્ષે પણ જેલમાં બહાર આવી ચૂક્યો હતો. તેને ડિસેમ્બર, 2020માં હાઈકોર્ટ દ્વારા તેની માની ખરાબ તબિયતના કારણે પેરોલ આપવામાં આવી હતી પરંતુ આ વખતે પેરોલનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રોક લાગી ગઈ જેમાં નારાયણ સાંઈને બે સપ્તાહની રજા આપવામાં આવી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 28/02/2022

aasthamagazine

મની લોન્ડરીંગ કેસમાં દાઉદના ભાઇ ઇકબાલ 7 દિવસ માટે કસ્ટડીમા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

દ્વારકા : 350 કરોડનું 66 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો : ગુજરાત જાણે ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

આર્યન ખાન ડ્રગનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો

aasthamagazine

Leave a Comment