પાકિસ્તાનમાં તોડેલુ મંદિર રીપેર કર્યા પછી હિન્દુઓને સોંપાયુ
Aastha Magazine
પાકિસ્તાનમાં તોડેલુ મંદિર રીપેર કર્યા પછી હિન્દુઓને સોંપાયુ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં તોડેલુ મંદિર રીપેર કર્યા પછી હિન્દુઓને સોંપાયુ

પાકિસ્તાન ના પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. સોમવારે મંદિર હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું. એક સરકારી અધિકારીએ આ માહિતી આપી. જિલ્લા પ્રશાસક ખુર્રમ શહજાદે કહ્યું કે સ્થાનિક હિન્દુઓ ટૂંક સમયમાં જ મંદિરમાં પૂજા ફરી શરૂ કરશે. 4 ઓગસ્ટના રોજ રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ વિસ્તારમાં 4 ઓગસ્ટે એક ટોળાએ ગણેશ મંદિર પર હુમલો કર્યો હતો. સ્થાનિક મદરસામાં આઠ વર્ષના હિન્દુ બાળકની ધરપકડ બાદ તેને કોર્ટ દ્વારા મુક્ત કરવાના વિરોધમાં ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો.તોડફોડ મામલામાં 50 લોકોની ધરપકડ, 150 સામે ગુનો નોંધાયો પંજાબ પ્રાંતના સૂંદરવર્તી શહેરમાં હિન્દુ મંદિર પર હુમલો કરવા બદલ 50 થી વધુ લોકોની ધરપકડ કરી છે અને 150 થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંદિરની સુરક્ષામાં નિષ્ફળતા બદલ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/03/2022

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ચીને પાકિસ્તાન માટે ઘાતક યુધ્ધ જહાજનુ નિર્માણ કર્યુ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ

aasthamagazine

વિદેશ પ્રવાસથી વંચિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના અમેરિકાના પ્રવાસે

aasthamagazine

Leave a Comment