



પીએમ મોદીએ કહ્યુ કે દેશવાસીઓના આગ્રહ પછી તેમણે આ નિર્ણય લીધો છે. પીએમે ટ્વિટર દ્વારા આ એલાન કર્યુ. આ એવોર્ડ દેશનુ સૌથી મોટુ સન્માન છે. પહેલીવાર આ પુરસ્કાર 1991-92માં આપવામાં આવ્યો હતો.પીએમે ટ્વિટર પર લખ્યુ, ‘ઓલંપિક રમતમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રયાસોથી આપણે સૌ અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં આપણા દિકરા-દિકરીઓએ જે ઈચ્છાશક્તિ બતાવી છે, જીતના પ્રત્યે જે જોશ બતાવ્યો છે, તે વર્તમાન અને આવનારી પેઢીયો માટે ખૂબ મોટી પ્રેરણા છે. તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યુ, દેશને ગર્વિત કરી દેનારા ક્ષણ વચ્ચે અનેક દેશવાસીઓએ આ આગ્રહ પણ સામે આવ્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનુ નામ મેજર ધ્યાનચંદ જીને સમર્પિત કરવામાં આવે.