રાજકોટના આજીડેમને ફરી સૌની યોજનાથી નર્મદાનાં પાણી પર આધાર રાખવો પડશે
Aastha Magazine
રાજકોટના આજીડેમને ફરી સૌની યોજનાથી નર્મદાનાં પાણી પર આધાર રાખવો પડશે
રાજકોટ

રાજકોટના આજીડેમને ફરી સૌની યોજનાથી નર્મદાનાં પાણી પર આધાર રાખવો પડશે

રાજકોટમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાયા બાદ ફરી અટકી ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. આથી પ્રથમ વરસાદ પૂર્વે જે રીતે સરકાર પાસે સૌની યોજનાના પાણીની માગણી કરવામાં આવી હતી તે રીતે ફરી 15 ઓગષ્ટ બાદ નવેસરથી પાણી માગવાની સ્થિતિ ઉભી થઇ શકે છે. હવેના 10 દિવસમાં વરસાદથી ડેમોમાં નવી આવક ન થાય તો ફરી પાણી વિતરણનું પૂરા વર્ષનું આયોજન નવેસરથી તૈયાર કરવું પડે તેમ છે. તેવું મ્યુનિ.કમિશનરે જણાવ્યું છે. આજી ડેમમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે.સરકારે આજી અને ન્યારી ડેમમાં તાજેતરમાં સૌનીનું પાણી ઠાલવ્યું હતું. પરંતુ ડેમોમાં આવક શરૂ થતા આ પાણી બંધ કરી દેવાયું છે. તો સાથે વરસાદ પણ ન આવતા ફરી મહિના પહેલાની સ્થિતિમાં જળાશયો આવી ગયા છે. આજે મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ડેમોમાં હાલ તો પૂરતો જળજથ્થો છે અને સરકાર પાસે માગણી કરવામાં આવે એટલે વહેલી તકે સૌની યોજનાનું પાણી આપી પણ દેવામાં આવે છે.

Related posts

રાજકોટ : સિટી બસે ટુવ્હીલરને પાછળથી ટક્કર મારતા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા PSIનું મૃત્યુ :પોલીસ બેડામાં શોક

aasthamagazine

રાજકોટ : ધાબડીયું વાતાવરણ : ઠંડો પવન ફુંકાયો

aasthamagazine

રાજકોટ રેલવે જંકશન એક્સલરેટર લિફ્ટ યુક્ત સ્ટેશન બન્યું

aasthamagazine

રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું ધૂમ વેચાણ ?

aasthamagazine

જસદણ ના નવાગામ માં વીજળી પડતા બે બાળકોના કરૂણ મોત

aasthamagazine

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની પ્રેસ કોન્ફરન્સ – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment