



એક વાર ફરીથી કોવિડ-19ના નવા કેસ 40 હજારથી વધુ નોંધવામાં આવ્યા. મંગળવારની સરખામણીએ આજે 1200થી વધુ કેસ સામે આવ્યા જ્યારે આ દરમિયાન 562 લોકોનો મોત થયા. કોરોનાથી રિકવર થયેલા લોકોની વાત કરીએ તો આ દરમિયાન કુલ 36,668 લોકોએ મહામારીને મ્હાત આપી. વળી, દેશમાં સક્રિય કેસનો આંકડો 4,10,353 પર રહ્યો.દેશમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ મળ્યા બાદ એક વાર ફરીથી ગતિવિધિઓ વધી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને સતત કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવાનો આગ્રહ કરી રહી છે. આ દરમિયાન મહામારીના વધતા કેસોએ એક વાર ફરીથી ચિંતા વધારી દીધી છે. મંગળવારે દેશભરમાંથી 30,549 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે બુધવારે આંકડામાં 1207 નવા કેસ સાથે ઉછાળો જોવા મળ્યો. આ સાથે જ દેશમાં હવે કુલ કોરોના કેસોની સંખ્યા 3,17,69,132 થઈ ગઈ છે