સૌરાષ્ટ્રભરમાં લોકમેળાઓનુ આયોજન નહી થાય
Aastha Magazine
સૌરાષ્ટ્રભરમાં લોકમેળાઓનુ આયોજન નહી થાય
ગુજરાત

સૌરાષ્ટ્રભરમાં લોકમેળાઓનુ આયોજન નહી થાય

તારીખ 9 ઓગસ્ટથી શ્રાવણ મહીનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસને લઇને ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારને લઈને સરકાર sop જાહેર કરશે. શ્રાવણ માસમાં મોટા તીર્થધામોમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે. શ્રાવણ માસમાં ધાર્મિક મેળાવડા યોજવા બાબતે સરકારની પ્રતિબંધ લગાવવાની વિચારણા છે.સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Related posts

2.84 લાખ નાગરિકોએ કોરોનાની રસી લીધી

aasthamagazine

જૂનાગઢ : રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાશે

aasthamagazine

એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવા સરકારે કેન્દ્રમાં રજૂઆત

aasthamagazine

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન

aasthamagazine

કેશોદમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે. : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા

aasthamagazine

ગુજરાતના ચાર ગામોમાં દારૂબંધી ઉઠાવી લેવાશે

aasthamagazine

Leave a Comment