કોરોનામાં મૃત્યુ પામેલા વાલીઓના બાળકોને
Aastha Magazine
કોરોનામાં મૃત્યુ પામેલા વાલીઓના બાળકોને
ગુજરાત

કોરોનામાં મૃત્યુ પામેલા વાલીઓના બાળકોને સરકાર 2 હજારની સહાય

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં પણ અનેક બાળકો નિરાધાર થયા છે. આવા બાળકોના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે હવે સરકારે આવા બાળકોના ભવિષ્યને લઈને આ મહત્વનું પગલુ ભર્યુ છે. જે બાળકોના માતા અથવા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હોય એવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને 2 હજાર રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવશે. આ યોજનાને મુખ્યમંત્રી બાળ સેવા યોજના નામ આપવામાં આવ્યુ છે મુખ્યમંત્રી બાળ સેવા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોની યાદી બનાવી ખાતા ખોલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા બાળકોને સીધા બેંક ખાતામાં રાજ્ય સરકાર રૂપિયા જમા કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે પહેલા રાજ્ય સરકારે એવા બાળકોનો જ સમાવેશ કર્યો હતો, જેના માતા-પિતા બન્નેના મોત કોરોનામાં થયા હોય.

Related posts

જાહેર રસ્તાઓ પર મટન-મચ્છી વેચનારાઓ સામે લાલ આંખ

aasthamagazine

ગુજરાત : મહાપાલિકાઓને રૂા.187.50 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ

aasthamagazine

Talk With Ankitbhai Bhatt & Vivekbhai Joshi – Laxya Career Academy -02/02/2022 | Aasthamagazine.news

aasthamagazine

4 યુવાનો ગાંધીનગર કેનાલમાં ડૂબ્યા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/02/2022

aasthamagazine

રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાત-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ

aasthamagazine

Leave a Comment