કોરોનાની ત્રીજી લહેર દુનિયામાં આવી ચુકી છે : WHOએ માન્યુ
Aastha Magazine
કોરોનાની ત્રીજી લહેર દુનિયામાં આવી ચુકી છે : WHOએ માન્યુ
આંતરરાષ્ટ્રીય

કોરોનાની ત્રીજી લહેર દુનિયામાં આવી ચુકી છે : WHOએ માન્યુ

ભારતમાં ભલે જ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકાઓ જાહેર કરવામાં આવી રહી છે, પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનુ કહેવુ છે કે ત્રીજી લહેર આવી ચુકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખિયા ટેડ્રોસ અઘાનોમ ગેબ્રેયેસસએ બુધવારે કહ્યુ કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર પોતાના શરૂઆતી તબક્કામાં છે. દુનિયાભરમાં કોરોના કેસ અને મોતના આંકડા એકવાર ફરીથી વધવાને લઈને ચેતાવણી રજુ કરતા તેમણે આ વાત કરી. ટેડ્રોસે કહ્યુ, દુર્ભાગ્યથી અમે કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભિક ગાળામાં છીએ.દુનિયામાં કોરોના સંકટનો સામનો કરવા માટે બનાવેલ ઈમરજેંસી કમિટીને સંબોધિત કરતા WHOના મુખિયાએ આ વાત કરી.

તેમણે કહ્યુ કે એકવાર ફરીથી દુનિયાભરમાં કોરોના કેસમાં ફાયદો થતો દેખાય રહ્યો છે. ટેડ્રોસે કહ્યુ કે ગયા અઠવાડિયે સતત આવુ ચોથુ અઠવાડિયુ હતુ. જ્યારે કોરોના કેસમાં કમી જોવા મળી હતી. પણ હવે વધારો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ સતત 10 અઠવાડિયાના ઘટાડા પછી વધતો દેખાય રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે પણ વધતા કેસોનુ કારણ સોશિયલ ડિસ્ટેસિંગ, માસ્ક પહેરવાના નિયમોનુ પાલન ન થવુ બતાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભારતમાં નવા કેસોનો આંકડો 40000 ને પાર પહોચી ગયો છે.

Related posts

ચીન લદાખ પાસે તૈયાર કરી રહ્યું છે નવો ફાઇટર એરક્રાફ્ટ બેઝ

aasthamagazine

ચીનના બ્લેક માર્કેટમાં લીવર-કિડનીનું વેચાણ : કરોડો ડોલરનો કારોબાર

aasthamagazine

અમેરિકાએ H-1B, L-1 વીઝા નિયમોમાં કર્યો મોટો ફેરફાર

aasthamagazine

કાબુલમાં લગાવવામાં આવ્યા તાલિબાનની નવી સરકારના હોર્ડિંગ્સ

aasthamagazine

108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન : 1.50 લાખથી વધુ કેસ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 25/02/2022

aasthamagazine

Leave a Comment