ગુજકેટની 6 ઓગસ્ટે 70 ટકા કોર્ષની પરીક્ષા લેવાશે
Aastha Magazine
ગુજકેટની 6 ઓગસ્ટે 70 ટકા કોર્ષની પરીક્ષા લેવાશે
એજ્યુકેશન

ગુજકેટની 6 ઓગસ્ટે 70 ટકા કોર્ષની પરીક્ષા લેવાશે

શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહાના ગ્રુપ-એ,બી અને એ.બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 6 ઓગસ્ટ શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. સાથે જ જૂન-2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કૂલોમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમ, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના NCERTના પાઠ્યપુસ્તનો અમલ થશે. NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા ત્રીસ ટકા ઘટાડા બાદ નક્કી કરેલા 70 ટકાના અભ્યાસક્રમ પ્રવર્તમાન ગુજકેટની પરીક્ષા માટે રહેશે.

Related posts

ધો. 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા 28થી 30 જુલાઈ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી ફી જેટલી જ ફી લેવાશે

aasthamagazine

નીટની પરીક્ષા 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે.

aasthamagazine

શિક્ષણ વિભાગ પરિપત્ર બહાર પાડશે. નિયમોનો કડકાઈથી અમલ કરાશે : જીતુ વાઘાણી

aasthamagazine

CBSE એ ધોરણ 10, 12ની સેકન્ડ ટર્મની પરીક્ષાની તારીખો જાહેર કરી

aasthamagazine

Leave a Comment