અંબાજી મંદિરના સમયમાં ફેરફાર
Aastha Magazine
અંબાજી મંદિરના સમયમાં ફેરફાર
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજી મંદિરના સમયમાં ફેરફાર

સોમવારને 12 જુલાઈ એટલે કે અષાઢી બીજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થશે. ઋતુ બદલતા હવે મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારથી અંબાજી ખાતે સવારે 7.30થી 8 વાગ્યે આરતી થશે. તો ભક્તો સવારે 8થી સાડા અગિયાર સુધી દર્શન કરી શકશે. બપોરે 12થી સાડા બાર વાગ્યે રાજભોગ થશે. ત્યારબાદ સાડા બારથી સાંજે સાડા ચાર સુધી દર્શન થઈ શકશે. સાડા ચારથી સાંજના 7 વાગ્યા સુધી મંદિર મંગળ થશે. સાંજે 7થી સાડા સાત વાગ્યે આરતી થશે. ત્યારબાદ ભક્તો રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે.

૧૨ / ૭ / ૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે .

આરતી સવારે – ૭:૩૦ થી ૮:૦૦

દર્શન સવારે – ૮:૦૦ થી ૧૧:૩૦

મંદિર મંગળ – ૧૧:૩૦ થી ૧૨:૦૦

રાજભોગ બપોરે – ૧૨:૦૦ થી ૧૨:૩૦

દર્શન બપોરે. – ૧૨:૩૦ થી ૧૬:૩૦

મંદિર મંગળ – ૧૬:૩૦ થી ૧૯:૦૦

આરતી સાંજે – ૧૯:૦૦ થી ૧૯:૩૦

દર્શન સાંજે – ૧૯:૩૦ થી ૨૧:૦૦

સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ મેળવવાનો રહેશે. ટ્રસ્ટ તરફથી સોશલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહી શ્રદ્ધાળુઓએ મંદિરમાં કોઈ જગ્યાએ અડવાનું નથી. સાથે જ દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

Related posts

નવરાત્રિનો ત્રીજો અને ચોથો દિવસ એક સાથે

aasthamagazine

શ્રાવણ માસનો છેલ્લો દિવસ : સોમવતી અમાસ પિતૃ તર્પણ માટે ઉતમ દિવસ

aasthamagazine

રાજકોટ : ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કૂંડ મુકાશે

aasthamagazine

ઇસ્કોન મંદિર રાજકોટ : ભગવાનનો અભિષેક કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે ભગવાનનું અવતરણ થશે.

aasthamagazine

અમદાવાદ : ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ

aasthamagazine

રાજકોટ : ગણેશ સ્થાપનની શરતોને આધીન મંજુરી અપાઈ

aasthamagazine

Leave a Comment