



રાજ્યમાં 7 જુલાઈથી ખેડૂતોને સિંચાઈ માટે વધુ 2 કલાક વધુ વીજળી આપવામાં આવશે…ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલા પાકનું વાવેતર નિષ્ફળ ન જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે…ખેડૂતોએ જે વાવેતર કર્યું છે તેને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે…પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે…ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે એ માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે…આગામી 7 જુલાઈથી ખેડૂતોને 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી મળશે.