Aastha Magazine
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીનો આપઘાત
Other

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીનો આપઘાત

ગઈકાલે 55 વર્ષીય ઝીણાભાઈ ડેડવારિયાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતાં આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ભાજપા તરફથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે. જોકે હાલમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલી ચિલોડા પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર ચોટીલાના ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા ગઈકાલે ગાંધીનગર આવ્યા હતા અને ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડીવાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. એ વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. એને પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા

Related posts

जागरूकता अभियान के रूप में ” फिल्म “कश्मीर फाइल्स” से “फ्री शो” – | Aasthamagazine.News

aasthamagazine

Budget 2022: મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર્સ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ

aasthamagazine

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ : ઉમરગામમાં 7 અને વાપીમાં 6 ઇંચ

aasthamagazine

LPG ગેસ સીલીન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો

aasthamagazine

કોવિડના પ્રકોપ બાદ 350 કરોડથી વધુ ડોલો ટેબ્લેટ વેચવામાં આવી

aasthamagazine

સિસ્ટમના પ્રભાવ હેઠળ મોટા ભાગના સ્થળોએ મેઘસવારી ચાલુ રહી શકે છે

aasthamagazine

Leave a Comment