



આ સાથે જણાવેલ માપ પ્રમાણે પાવડર બનાવી દરરોજ તેનું સેવન કરવું. આ માપ 1 વ્યકિત દીઠ છે. જો વધારે વ્યકિત માટે પાવડર બનાવવો હોય તો તેના ગુણાંકમાં માત્રા લેવી.
મેથી- 50 ગ્રામ, અજમો-20-ગ્રામ, કાળીજીરી-10 ગ્રામ આટલી ચીજો ભેગી કરી ચીજવસ્તુઓ ગાંધીને ત્યાંથી અલગ અલગ ઇલેકટ્રોનિક તોલમાપમાં તોલાવવી. દ્રવ્યને અલગ અલગ સાફ કરીને દરેકને ત્રણેય ભેગા કરીને મિક્ષચરમાં નાંખીને પાવડર બનાવવો. ત્યારબાદ પારદર્શક ડબ્બામાં ભરવો. સદર પાવડર રાત્રે જમ્યા બાદ સુતી વખતે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવો. આ પ્રયોગમાં હુંફાળું પાણી અત્યંત આવશ્યક છે. જેની નોંધ લેવી. રોજ રોજ લેવાથી શરીરમાં ખૂણા ખાંચરામાં રહેલો ગંદો મેલ અથવા ગંદકી, મળ તથા પેશાબ વાટે બહાર કાઢશે. ત્રણ માસ બાદ શરીરમાં રહેલ વધુ ચરબી તથા ગાંઠોના પડો આપમેળે ઓળગવા માંડશે. ચામડીમાં પડેલ કરચલીઓ જાણે કે કપડાંને ઇસ્ત્રી કરતા હોય તેવા સ્વરૂપમાં ખેંચાશે. શરીર સુંદર બનશે.
8 : નિયમિત પાવડર લેવાથી ફાયદાઓ :
હઠીલો વા કાયમને માટે નાબૂદ થશે.
હાડકાઓ મજબૂત બનશે
કામકરવાની કાર્યશકિત સ્કૂર્તિદાયક બનશે.
વાળનો વિકાસ થશે
જૂના કબજિયાત રોગમાંથી મુકિત મળશે.
શરીરમાંથી કફ કાયમને માટે મુકિત થશે
સ્ત્રીનું શરીર બેડોળ હોય તે સુડોળ બને છે
યાદશકિતમાં વધારો થશે
કાનમાં રહેલ બહેરાશ દૂર કરશે
શરીરમાં રહેલ લોહીની નલિકાને શુદ્ધ કરશે
લોહીમાં રહેલ ગુણધર્મો જાળવશે
નપુંસકતા હશે તો તે દૂર કરશે તેમજ વંશવોલાની વૃદ્ધિમાં તેજસ્વી જીવનો જન્મ થશે
મેલેરીયા, કમળો, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગો સામે પ્રતિકારક શકિત વધારશે.
ગમે તે ઉંમરના વ્યકિત ઉપયોગ કરી શકે છે તેમજ ઉંમર ગમે તે હોય તો પણ યુવાન જેવા દેખાવોમાં સાથ આપશે એટલે કે બુઢાપાની અસર નહીં આવે તેવું શરીર બનાવશે.
સ્ત્રીને યુવાનીમાં અને લગ્નેતર જીવન બાદ થતી તકલીફોમાં રાહત અપાવશે.
કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે.